Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ યુવતીના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૮: જામનગર નજીકના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ખોળમીલના ઢાળીયા પાસે રામનગરમાં રહેતા સીમાબા કનકસિંહ જાડેજા ઉર્ફે નમ્રતાબેન (ઉ.વ.૨૭)નામના પરણીતા મંગળવારે પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ તરસ લાગતા ત્યાં પડેલા એક ગ્લાસમાં ભરેલું પ્રવાહી પાણી સમજીને ભૂલથી પી લીધું હતું.
તેઓના ઘરમાં રાખવામાં આવેલું ટોઈલેટ ક્લિનર બોટલમાંથી કાઢવામાં આવ્યા પછી બોટલનું ઢાંકણું ખોવાઈ જતા ગ્લાસમાં ભરીને રાખવામાં આવ્યું હતું તે પાણી સમજીને સીમાબાએ પી લેતા તેઓને છાતીમાં બળતરા થવા લાગી હતી.
આ પરણીતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સવારે તેઓનું મૃત્યુ નિપજ્યાનું સીમાબાના પિતા અને લાલવાડી પાસેના અટલ બિહારી આવાસમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ ડોણાસીયાએ પોલીસમાં જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial