Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર, મ્યુનિ. કમિશનર, ડે. મેયર સહિત ૬ જણાએ સ્વીકાર્યો
જામનગર તા. ૧૮: જામનગરમાં વિકાસ કામો માટે ૮પ કરોડની ગ્રાન્ટનો ચેક ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો હતો.
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગઈકાલે રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને ગ્રાન્ટના ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે બપોરે અમદાવાદમાં આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિકાસ કામો માટેના ચેક આપવામાં આવ્યા હતાં. જામનગર મહાનગર પાલિકાને રૂ. ૮પ કરોડની રકમનો ચેક મળ્યો હતો.
નગરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા તેમજ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આ ચેક સ્વીકાર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial