Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ શહેરના સાતેય વોર્ડમાં સ્વચ્છતા અભિયાન માટે સમિતિની રચના

શહેર ભાજપ પ્રમુખ તથા પાલિકા પ્રમુખની આગેવાનીમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨ઃ સમગ્ર દેશ તથા રાજ્યમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલતુ હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં પણ રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા મહામંત્રી રસીકભાઈ નકુમના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીની આગેવાનીમાં મિશન સ્વચ્છ ખંભાળીયા શરૃ કરવામાં આવ્યું છે.

શહેરમાં સ્વચ્છતા જળવાય તથા ગંદકી-સફાઈકામ અંગે કોઈપણ પ્રશ્ન આવે તો તરતજ કાર્યવાહી થાય તેમજ ન.પા.ના સદસ્યો, સફાઈ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર સાથે સંકલન કરી સ્વચ્છતા અભિયાન ચલાવશે.

સ્વચ્છતા અભિયાન અંગે વોર્ડ વાઈઝ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં વોર્ડ ઈન્ચાર્જ તરીકે ઈમ્તીયાઝઆન લોદીન, કારૃભાઈ માવદીયા, ભીખુભા જેઠવા, રેખાબેન ખેતીયા, જીજ્ઞેશ પરમાર, મયુરભાઈ ધારીયાની નિમણૂક કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh