Advertisement
Author: નોબત સમાચાર

પતિ સાથે વિખવાદ થયા પછી રિસામણે ચાલ્યા ગયેલા યુવતીએ ખાધો ગળાફાંસો

ગયા શનિવારે વિષપાન કરનાર યુવાનનું સારવારમાં મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરના નારણપુર ગામમાં પિતાના ઘેર રિસામણે આવેલા યુવતીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ગયા શનિવારે રણજીતસાગર પાસે એક યુવાને ઝેરી દવા પીધી હતી. તે યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. આ યુવાનના પત્નીને અલગ કરવા માટે તેના સાસુ કારસા કરતા હોવાથી તેણે દવા પીધી હોવાનું જે તે વખતે ખૂલ્યું હતું.

જામનગરના સમાણા રોડ પર આવેલા નારણપુર ગામમાં વસવાટ કરતા ભાણાભાઈ દાનાભાઈ ગમારાના પુત્રી શિતલબેનના લગ્ન ડાયાભાઈ વેસરા સાથે થયા પછી પતિ ડાયાભાઈ કોઈ કામધંધો કરતા ન હોવાના કારણથી શિતલબેન પોતાના પિયર રિસામણે આવ્યા હતા.

છેલ્લા એકાદ વર્ષથી ચાલતા આ વિખવાદના કારણે શિતલબેનને માઠું લાગી આવતા ગઈકાલે બપોરે નારણપુર ગામમાં પિતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં નીચે ઉતારી આ યુવતીને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. ભાણાભાઈ ગમારાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના સમાણા રોડ પર રણજીતસાગર નજીક ગયા શનિવારે દિલીપભાઈ ચંદ્રકાંત જેઠવાણી નામના બત્રીસ વર્ષ ના અને મોહનનગર નજીક રાજમોતી ટાઉનશીપમાં રહેતા યુવાને ઝેરી દવા પી લીધી હતી આ યુવાને જે યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેની માતાના કહેવાતા ત્રાસથી કંટાળી દિલીપભાઈએ દવા પી લીધી હોવાનું બહાર આવ્યું હતું. તે યુવક પાસેથી તેની લખેલી મનાતી ત્રણ ચિઠ્ઠી પણ મળી હતી. સારવારમાં ખસેડાયેલા દિલીપભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના માતા વિદ્યાબેન જેઠવાણીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh