Advertisement
Author: નોબત સમાચાર

બનાસકાંઠા સરહદે બીએસએફ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

જવાનો દ્વારા ચેતવણી પછી ફાયરીંગ કરાયું:

                                                                                                                                                                                                      

બનાસકાંઠા તા. ર૪: 'ઓપરેશન સિંદૂર' પછી જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે, ત્યારે કચ્છમાંથી જાસૂસીને પકડી પાડ્યા પછી શુક્રવારે રાત્રે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધતો હતો. પરિસ્થિતિને જોતા બીએસએફના જવાનોએ ફાયરીંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh