Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનદારે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ર૪: જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે એક કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં બુધવારની રાત્રે ચોરી થઈ છે. આ દુકાનના શટરનું તાળંુ તોડી તસ્કરે કાઉન્ટરના ખાનામાંથી રૂ.૨૫ હજાર રોકડા તફડાવ્યા છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ વિસ્તારમાં આવેલા સોહમ કોમ્પલેક્ષમાં કામધેનુ ડેરી એન્ડ ફૂડ નામની દુકાન ચલાવતા અને ક્રિકેટ બંગલા પાસે જય ભવાની એપાર્ટમેન્ટ માં રહેતા કેતનભાઈ ગોવિંદભાઈ ખાણધર નામના વેપારી બુધવારે રાત્રે પોતાની દુકાન બંધ કરીને ઘેર ગયા પછી દુકાનમાં ચોરી થઈ છે.
તે દુકાનમાં રાત્રિના સવા બાર વાગ્યાથી સવારના સાડા ચાર વાગ્યા દરમિયાન કોઈ તસ્કર શટરનું તાળું તોડી અંદર ઘૂસી ગયો હતો. ત્યાં રાખવામાં આવેલા કાઉન્ટરના ખાનામાંથી આ તસ્કરે રૂ.રપ હજાર રોકડા ચોરી કરી લીધા છે. જેની જાણ ગુરૂવારે સવારે દુકાને આવેલા કેતનભાઈને થયા પછી ગઈકાલે તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધ્યા પછી તે વિસ્તારના કેટલાક સીસી ટીવી ફૂટેજ ચકાસી તસ્કરના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial