Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારાથી પ્રજાજનો આકુળ-વ્યાકુળઃ બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ પહોંચતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: પવનની ગતિ મંદ પડતા તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ પહોંચતા જામનગરમાં અસહ્ય બફારો અનુભવાયો હતો. પ્રજાજનો આકુળ-વ્યાકુળ થઈને ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં તિવ્ર ગતિએ ફુંકાતા પવનની ગતિ મંદ પડી છે. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિ.મી.ની રહેવા પામી હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા વધીને ૯૫ ટકા રહ્યું હતું. પવનની ગતિમાં થયેલા ઘટાડા અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવાયો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયાં હતાં. અસહ્ય ઉકળાટથી પ્રજાજનો આકુળ-વ્યાકુળ થઈને ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને અડધો ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh