Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીએ કરી હતી જોરદાર રજુઆત
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરો-સ્ટાફની અછત, અન્ય સુવિધાઓનો અભાવ વગેરેના કારણે દર્દીઓને થઈ રહેલી પરેશાની અંગે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિતના નેતાઓની ઉગ્ર રજુઆત તથા લોકોના અસંતોષના પગલે પ્રાંત અધિકારી કે. કે. કરમટાએ હોસ્પિટલની તાકિદે મુલાકાત લેવી પડી હતી.
પ્રાંત અધિકારી દ્વારા હોસ્પિટલમાં ડોકટરો તથા જરૂરી સ્ટાફની કર્મચારીઓની અનિયમિતતા તથા દર્દીઓને થતી પરેશાની, હોસ્પિટલમાં ગંદકી તથા અસ્વચ્છતા અંગે જવાબદાર કાર્મચારી તથા અધિકારીના ખુલાસા પણ સ્થળ પર લીધી હતાં તથા તમામ જવાબદારોને પરિણામ લગત સુધારા માટે તાકીદ પણ કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીને ખાસ અહેવાલ સોંપાશે
પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા દ્વારા હોસ્પિટલની આકસ્મીક મુલાકાત લઈને કાર્યવાહીઓ તથા જવાબદાર અધિકારીઓને રૂબરૂ પ્રશ્નો અંગે પુછીને તથા ત્યાં આવેલા દર્દીઓ તથા તેના સગા વ્હાલાઓને રૂબરૂ મળીને આ હોસ્પિટલના પ્રશ્નો તથા લોકોની સમસ્યા અંગે વિસ્તૃત અહેવલા તૈયાર કરીને જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે જેઓ જરૂરી મુદ્દાઓ અંગે રાજ્યના આરોગ્ય વિભાગને પણ જાણ કરશે જેથી વહીવટી કારણોસર ઉભા થતાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial