Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નાકા બહારનો પુલ જર્જરિત હોય, સત્વરે નવો બનાવવા માંગણી

સ્થાનિક કોર્પોરેટરનું આવેદન

                                                                                                                                                                                                      

જામનગરના કાલાવડ નાકા બહારનો મુખ્ય પુલ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યાં નવો પુલ બનાવાની માંગ સામે આજે સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજીની આગેવાની હેઠળ સ્પે. કમિટી ચેરમેનને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે, ચેરમેન હાજર નહીં હોવાથી તેમની ચેમ્બરના દરવાજે આવેદન ચિપકાવાયું હતું. છેલ્લા ચાર વર્ષથી આ પુલના મુદ્દે અનેક વખત લેખિત, મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છ માસ પહેલા આ કામ માટે ૨૦ કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. બે માસ પહેલા ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પરંતુ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. અને પક્ષપાત ભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રાજ્યમાં આવી ઘટના બની હતી છતાં સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર વાહકો કોઈ અકસ્માતની રાહ જુએ છે ? આ પુલમાં સાઈડ રેલીંગ તૂટી ગઈ છે. સળીયા બહાર લટકતા જોવા મળે છે. ૧૯૮૫માં જે તે સમયમાં રાજયના મંત્રી એમ.કે.બ્લોચના સમયમાં આ પુલનું નિર્માણ થયું હતું. જે પુલ હવે નવો બનાવવાની ખાસ જરૂર છે. જો કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી સત્તાધારી પક્ષની રહેશે. આ મુદ્દે જરૂર પડયે રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટર અસ્લમ ખીલજી સાથે સ્થાનિક કોર્પોરેટર જેનમબેન ખફી અને અન્ય આગેવાના જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh