Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકાયા

રાજ્યના કુલ ૨૯ ચીફ ઓફિસરો બદલાયા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: આખરે ખંભાળીયા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે સિક્કાના રાહુલ પરમાર બદલીથી નિયુક્ત થયા છે.

આખરે ખંભાળીયાના કાયમી ચીફ ઓફિસર તરીકે રાહુલ કરમુર ની સિક્કાથી નિયુક્તિ થઈ છે. તેઓ યુવા ચીફ ઓફિસર છે તથા તેઓએ સિક્કા ઉપરાંત ધ્રોલ, રાપર, ભાણવડ જેવી નગરપાલિકાઓમાં ફરજ બજાવેલી છે તથા તેમને સી ગ્રેડની ન.પા.ઓમાં કામગીરી પછી ખંભાળીયા શહેર કે જે તાજેતરમાં એ ગ્રેડની ન.પા. બન્યું તથા ૩.૫ કિ.મી.ના વિસ્તારમાંથી ૧૦.૫ કિ.મી. ના વિસ્તાર વાળું શહેર બન્યું છે, તથા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના આયોજનો થયા છે ત્યારે મહત્ત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

જો કે, અગાઉ પણ થોડા સમય પહેલા રાહુલ કરમુર ખંભાળીયા ચીફ ઓફિસર તરીકે ઈન્ચાર્જમાં કામગીરી કરી ચૂક્યા છે, તથા ખંભાળીયા પાલિકાના જોધપુર ગેઈટ શોપીંગ સેન્ટરની હરાજી તેમના સમયમાં થઈ હતી તથા પાલિકાની સફાઈ કર્મીઓની લાંબી હડતાલની પૂર્ણાહુતિ પણ તેમના સમયમાં થઈ હતી. ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ખંભાળીયાને ફરી કાયમી ચીફ ઓફિસર મળ્યા છે.

રાજ્યના કુલ ૨૯ ચીફ ઓફિસરોની સામૂહિક બદલીઓ થઈ હતી જેમાં અગાઉ ખંભાળીયા ફરજ બજાવી ગયેલા ભરત વ્યાસને ખેરાલુથી વડનગર મુકાયા છે તથા અશ્વિન ગઢવીને જેતપુરથી કોડીનાર, જામજોધપુરના મેહુલ જોધપુરાને જસદણ તથા જામજોધપુર બ્રીજરાજસિંહ વાળા મુકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh