Advertisement
Author: નોબત સમાચાર

જાયન્ટ રાઈડ્સના બદલે નાની રાઈડ્સને જ મંજુરી અને માર્ગો પર થતા પાથરણા પર અંકુશ

                                                                                                                                                                                                      

શ્રાવણી મેળામાં રાજકોટની જેમ જામનગરમાં પણ થશે ખરૂં?

જામનગર તા. ૧૧: જામનગરમાં આ વર્ષે અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજવાનું નક્કી થયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જેમ આ વર્ષે જાયન્ટ રાઈડ્સના બદલે નાની-મધ્યમ અને ઓછી જગ્યા રોકતી સલામત રાઈડ્સને જ મંજુરી અપાશે, તથા મેળાના સ્થળે પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર રેંકડી-પથારા-કેબિનોવાળાને પાછળના ભાગે જગ્યા આપીને સાત રસ્તાથી લાલબંગલાનો માર્ગ એસ.ટી. બસો માટે ખુલ્લો રખાય, અને કોલેજની સાઈડમાં પાર્ક થતા નાના-મોટા તમામ વાહનોનું પાર્કિંગ અન્યત્ર કે કોલેજના પાછળના મેદાનમાં થાય, તેવા સૂચનો વિચારાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે. તે ઉપરાંત ચોમાસાને ધ્યાને લઈને માત્ર સુરક્ષિત કામચલાઉ વીજ-જોડાણો અપાય તથા ઈમરજન્સી એકઝીટ ગેઈટ (વધારાના) ઊભા કરાય, તેવા સૂચનો પણ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે મેળાના આયોજનમાં ગેઈમ ઝોનની દુર્ઘટનાના અનુભવે આ વખતે કેટલાક સુધારા-વધારા આયોજનમાં કર્યા છે, અને સેઈફ ગાર્ડ વધાર્યા છે, તેનો જામનગર મનપાની ટીમ અભ્યાસ કરશે અને પછી આખરી આયોજન કરશે, તે ઈચ્છનિય રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh