Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની જેમ ખંભાળિયા નગરપાલિકામાં સફાઈકર્મીઓને કાયમી નહીં કરાતા અસંતોષ

ખાલી પડેલી ર૦ જેટલી કાયમી જગ્યાઓમાં પણ નિમણૂક નહીં:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: જામનગર મહાનગર પાલિકામાં અવેજી સફાઈ કામદારો કાયમી થયાને, ખંભાળિયામાં વીસ વીસ વર્ષથી રોજમદાર હોવાથી અસંતોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જામનગર નગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ પર અવેજી તરીકે કામ કરતા સફાઈકર્મીઓને કાયમી તરીકે નિમણૂક કરીને આવા કર્મચારીઓને નિમણૂક હુકમો આપવામાં આવ્યા ત્યારે જામનગરની જેમ દ્વારકા જિલ્લાની મુખ્ય મથકની ખંભાળિયા નગરપાલિકામાં વીસ વીસ વર્ષથી સફાઈ કામદારો રોજમદાર તરીકે ફીક્સ પગારમાં કાયમી કર્મીનું કામ કરતા હોય તેમનામાં ભારે અસંતોષની લાગણી વ્યાપી છે.  કારણ કે ન.પા.માં આવો નિયમ નથી. નગરપાલિકામાં વીસ વર્ષથી રોજમદારની નોકરી પછી પણ તેમને કાયમી કરાયા નથી.

જો કે, નવાઈની વાત છે કે ન.પા.ની જુના સેટઅપ મુજબની ૭૯ જગ્યાઓમાં પણ વીસ જેટલી કાયમીની જગ્યાઓ ખાલી છે. તેમાં પણ કાયમી સફાઈ કર્મીની નિમણૂક કરવામાં નહીં આવતા સફાઈકર્મીમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh