Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મસાલો માંગી વેપારીને બે શખ્સે ધોકાવ્યાઃ
જામનગર તા. ૧૨: જાનગરના ગણપતનગરમાં એક વેપારીને શનિવારે રાત્રે બે શખ્સે મસાલો લેવાની બાબતે માર માર્યાે હતો. જ્યારે છૂટા લેવા આવેલા શખ્સે એક મહિલાની દુકાનમાં પથ્થરના ઘા કરી ટીવી તથા છાપરૂ તોડી નાખ્યા હતા અને તેમના પુત્રને માથામાં પથ્થર ઝીંકી દીધો હતો.
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ગણપત નગરમાં વસવાટ કરતા અને ત્યાં જ અજય પાન નામની દુકાન ચલાવતા અજયભાઈ જીવરાજભાઈ પરમાર શનિવારે રાત્રે નવેક વાગ્યે પોતાની દુકાને હાજર હતા ત્યારે સાગર ઉર્ફે એસકે તથા એક અજાણ્યો શખ્સ તેની દુકાને આવ્યા હતા.
આ શખ્સો પૈકીના સાગરે મસાલો આપવા માટે અજયને કહ્યું હતું પરંતુ અજય તેનો જવાબ ના આપતા સાગર તથા તેના મિત્રએ ગાળો ભાંડી હતી તે લોકોને ગાળો બોલવાની ના પાડવામાં આવતા ઝઘડો કર્યા પછી સાગરે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી માથા તથા પગમાં તેના ઘા ઝીંકી દીધા હતા. ઈજા પામેલા અજયને સારવારમાં ખસેડાયા પછી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં ઘર તથા દુકાન ધરાવતા હીરાબેન બાબુભાઈ પડાયા ગઈકાલે બપોરે પોતાની દુકાને હતા ત્યારે બાવરીવાસ વાળો મેઘરાજ લેખરાજ બાવરી છૂટા લેવા આવ્યો હતો. તેને છૂટા ન હોવાનું હીરાબેને કહેતા ગાળો ભાંડી મેઘરાજે દુકાનમાં રહેલુ ટીવી પથ્થરનો ઘા ઝીંકી તોડી નાખ્યંુ હતું. આ વેળાએ હીરાબેનનો પુુત્ર આવી જતાં તેને પણ માથામાં પથ્થર મારી ઈજા કરાઈ હતી. હીરાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial