Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ લોકો ઈજાગ્રસ્તઃ હજુ કેટલાક મૃતદેહો બસમાં ફસાયેલા છે
હૈદરાબાદ તા. ૨૬: આંધ્રપ્રદેશના રાયવરમમાં ડમ્પર સાથે અથડાયા પછી બસમાં આગ લાગતા ૧૪ લોકોના મૃત્યુ થયા છે, અને હજુ રાહત-બચાવની કામગીરી ચાલી રહી હોવાથી મૃતાંક વધી શકે છે.
આંધ્રપ્રદેશના માર્કપુરમ નજીક રાયવરમમાં એક ખાનગી ટ્રાવેલ બસ ડમ્પર સાથે અથડાતા ઓછામાં ઓછા ૧૪ લોકો જીવતા બળી ગયા છે,અને આશરે ૧૮ ઘાયલ થયા છે. આ અકસ્માત સ્લેબ ખાણ પાસે થયો, જ્યાં બસમાં આગ લાગી, જેમાં અનેક મુસાફરો ફસાઈ ગયા. હાઈસ્પીડ બસ કાંકરી ભરેલા ડમ્પર સાથે અથડાઈ, જેના કારણે ભીષણ આગ લાગી. બસ સંપૂર્ણપણે નાશ પામી હોવાના અહેવાલો છે.
સ્થાનિક અહેવાલો અનુસર ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. કટોકટી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક મુસાફરોને નાની ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અધિકારીઓ વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
માર્કપુરમના નાયબ પોલીસ અધિક્ષક (ડી.એસ.પી.) નાગરાજુએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, આશરે ૧૪ લોકો જીવતા બળી ગયા હતાં, અને અત્યાર સુધીમાં આશરે ૧૮ ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, બચાવ ટીમો પીડિતોની ઓળખ કરવા અને તેમના સંબંધીઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહી છે. ચકાસણી પૂર્ણ થયા પછી તેમના સંબંધીઓને જાણ કરવામાં આવશે.
નાગરાજુએ કહ્યું કે કેટલાક મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. અકસ્માત પછી બસમાં આગ લાગી હતી, જેના કારણે મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial