Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાણી પરિવાર ઉપરાંત કરણ જોહર, અભિનેત્રી જાન્વી કપૂર, અનન્યા પાંડે સહિતના ફિલ્મ સિતારાઓ ઉપસ્થિતઃ ભાઈબીજ અને ત્રેવીસમી ઓક્ટોબરે
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી પરિવારના ઈશા અને આકાશ અંબાણીના તા. ર૬ ના જન્મ દિવસની જામનગર નજીકના ખાવડીમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંબાણી પરિવાર ઉપરાંત ફિલ્મી સીતારાઓ સહિતના મહાનુભાવો જોડાયા હતાં. ઈશા અને આકાશ અંબાણીના ગત્ તા. ર૬/૧૦ ના જન્મ દિવસની જામનગરમાં ઉજવણી કરવાનું અંબાણી પરિવારે નક્કી કર્યું હતું. ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે ઉજવાયેલા જન્મ દિવસની ઉજવણી માટે સમગ્ર અંબાણી પરિવાર મુંબઈથી વિમાન માર્ગે જામનગર આવી પહોંચ્યો હતો. ઉપરાંત ફિલ્મ ડીરેક્ટર એટલી કુમાર, અને કરણ જોહર, ઉપરાંત અભિનેત્રી જાન્વી કપૂર, અનન્યા પાંડે સહિતના એક ડઝનથી વધુ સેલીબ્રિટી પણ આ જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં. આમ જામનગરના એરપોર્ટ ઉપર ફિલ્મી સીતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ પછી મોડી સાંજે ખાવડીના રિલાયન્સ કંપનીની ટાઉનશીપમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial