Advertisement
Author: નોબત સમાચાર

જાહેરમાં પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસે નોંધ્યા ગુન્હા

છેક દિવાળીની રાત્રે પોલીસે કરી કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી પ્રણામી સ્કૂલ પાસેથી પોલીસે પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા શખ્સોને દિવાળીની રાત્રે પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો.

જામનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કેટલાક સ્થળે પરવાના વગર ફટાકડાનું વેચાણ થયું હતું. તેને ડામવા માટે પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં દિવાળીની રાત્રે હિરજી મીસ્ત્રી રોડ પર મેદાન નજીકથી ચિરાગ જયેશભાઈ લખીયર નામનો શખ્સ પરવાના વગર ફટાકડા વેચતો મળી આવ્યો હતો.

ત્યાંથી જ કેવલ કીર્તિભાઈ લખતરીયા, રસીકભાઈ ધનાભાઈ ડાંગર, કેશુભાઈ નાથાભાઈ કરંગીયા, અજયરાજસિંહ મહિપતસિંહ જાડેજા, સાજણભાઈ નેભાભાઈ ગોજીયા, ધ્રુવપાલસિંહ કિરીટસિંહ જેઠવા, ચિરાગ રાજેશભાઈ ભટ્ટ નામના વ્યક્તિઓ પણ પરવાના વગર જ ફટાકડાનું વેચાણ કરતા મળી આવ્યા હતા. તમામ સામે જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh