Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણના કેસમાં નિવૃત્ત ફોજદારના પુત્રને ૧૨ મહિનાની કેદ

અદાલતે સજાનું વોરંટ જારી કર્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના એક પરિણીતાએ સુરતમાં રહેતા પતિ પાસેથી ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા અદાલતમાં કરેલી અરજી ચાલી જતાં અદાલતે નિવૃત્ત ફોજદારના પુત્ર એવા પતિને ૧૨ મહિનાની કેદની સજા ફટકારી છે.

સુરતમાં વસવાટ કરતા નિવૃત્ત ફોજદારના પુત્ર આઝીમ કાસમભાઈ બ્લોચ નામના આસામી સામે જામનગરમાં રહેતા તેમના પત્ની તનજીલા આઝીમે પોતાનંુ તથા પુત્રનું ભરણપોષણ મેળવવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી.

તે અરજી અન્વયે ભરણપોષણ ચૂકવવા અદાલતે આદેશ કર્યાે હતો. તે રકમ ચઢત કરી દેવાતા આ પરિણીતાએ અદાલતનો આશરો લીધો હતો. અદાલતે ચઢત ભરણપોષણ ન ચૂકવનાર પતિ આઝીમ કાસમભાઈને ૧૨ મહિનાની કેદની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ પ્રવીણ માતંગ, જયદેવ કનખરા, ભાવિશા માડમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh