Advertisement
Author: નોબત સમાચાર

બિસ્માર થઈ ગયેલા ખંભાળીયા-ભાણવડ માર્ગ પર પેચવર્ક-રીપેરીંગ થતા વાહનચાલકોને રાહત

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા-ભાણવડ રોડ પર ખંભાળિયાથી માંઝા સુધી તથા ફોટથી ગુંદા, ગુંદળા સુધીનો રોડ જુનો અને જર્જરિત થઈ ગયો હોય, માંઝા ગામથી ફોટ સુધી નવો રોડ ૧૮ કિ.મી. કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયો હોય, ખંભાળિયાથી ભાણવડ ર૦ કિ.મી.ના રોડમાં રર કિ.મી.માં અનેક સ્થળે ખાડા હોય, તાજેતરમાં પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા જ્યાં ખાડા હોય તેને ખોડીને તેમાં મોટા કાંકરા ભરીને ડામર કરીને માથે રોલર ફેરવીને આખો ખાડો પૂરીને પેચવર્ક સાથે રીપેરીંગ કરતા વાહનચાલકોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ છે.

ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય મૂળુભાઈ બેરાને આ મુદ્દે રજૂઆત થતા તેમણે પી.ડબલ્યુ.ડી. તંત્રને કહેતા આ કામ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-ભાણવડ વચ્ચેનો ૧૮ કિ.મી. રોડ કેન્દ્ર સરકારમાં ગયો હતો તે પછી તાજેતરમાં આખો રોડ ૪૦ કિ.મી.નો નેશનલ હાઈવે પી.ડબલ્યુ.ડી.માં જતા પોરબંદર વિસ્તારના નેશનલ હાવે તંત્ર દ્વારા આ રીપેરીંગનું કાર્ય થયુંછે તથા આગામી સમયમાં આખો બાકીનો રોડ પણ નવો બનનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh