Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોએ ગ્રાઉન્ડ ખાલી કરાવી સફાઈ આદરીઃ દબાણો હટાવાયાઃ મેળાનો ૧૦ કરોડનો વીમો ઉતરાવાઈ રહ્યો છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. તે અંગેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આજે એસ્ટેટ શાખાએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઊભી રહેલી ખાનગી બસ, ઉપરાંત ઝુંપડા, રેંકડી વગેરે દૂર ખસેડ્યા છે. પ્રદર્શન મેદાનમાં ૧પ દિવસીય શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યા ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ મનોરંજક સાધનો પણ આવી ચૂક્યા છે. પ્લોટ માટે છાવણી કામગીરીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આ શ્રાવણી મેળામાં હજારો લોકો મોજ માણવા આવતા હોય, આથી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળાનો રૂ. ૧૦ કરોડનો વીમો લેવાનું પણ આયોજન થયું છે. આ માટે દસ્તાવેજી કામગીરી ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial