Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારે નગરમાં યોજાશે
જામનગર તા. રઃ જામનગરના કાશી વિશ્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રાજપૂત સમાજ દ્વારા ચોથા વર્ષે તા. ૪-૮-ર૦રપ ને સોમવારે ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૪/૮ ના સાંજે ૪ વાગ્યે ખેત્રી ફળી, ખવાસ જ્ઞાતિની વાડીએથી પાલખી યાત્રાનું પ્રસ્થાન જશે, જે સવાભાઈની શેરી, કરસનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, દાવલશા ફળી, શાક માર્કેટ, દિપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, પંચેશ્વર ટાવર, સુપરમાર્કેટ, બેડીગેઈટ થઈ રાત્રે નવ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરે સંપન્ન થશે.
આ પાલખી યાત્રા નિમિત્તે તા. ૪/૮ ના સાંજે ૭ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી મંદિરની પાસેના પાર્ટી પ્લોટમાં યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવમાં અનુદાન માટે મો.નં. ૯૪૦૯૩ ૪૬૪૬૭નો સંપર્ક કરવો.
આજે શિવડાયરો
કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા અંતર્ગત આજે તા. ર-૮-ર૦રપ ના રાત્રે ૯ વાગ્યે શિવ ડાયરાનું આયોજન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પાસે, પોટરી ગલીમાં કરવામાં આવ્યું છે, જેમાં કૃણાલ બાદલ, સપના બાલા, રાજુ દવે શિવભક્તિના ભજન-ગીતો રજૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial