Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૩૫ હજારનો ચોરાઉ વાયર કબજે કરી લેવાયોઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના અલીયા ગામમાં ગટરના ચાલતા કામના સ્થળેથી નીકળેલા બીએસએનએલના ૩૩ મીટર વાયરની ચોરીની ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં પોલીસે એક કોન્ટ્રાક્ટર તથા ભંગારનું કામ કરતા બે શખ્સને પકડી પાડી રૃા.૩૫ હજારનો કોપર કેબલ કબજે કર્યાે છે.
જામનગર નજીકના અલીયા ગામમાં ચાલતા બાપા સીતારામ ચોક પાસેના ગટરની લાઈન નાખવાના કામ વેળાએ ત્યાં ખોદકામ કરાતા બીએસએનએલ કંપનીની લેન્ડલાઈન સર્વિસના બે ડેડ કોપર વાયર નીકળ્યા હતા. આ ૯૦ મીટર વાયર ત્યાં રાખી મૂકવામાં આવ્યો હતો જેમાંથી ગઈ તા.૧ની રાત્રે ૩૩ મીટર વાયર કાપીને ચોરી જવાતા બીએસએનએલના કર્મચારીએ રૃા.૩પ હજારના વાયરની ચોરીની પોલીસમાં ફરિયાદ કરી હતી.
તે ફરિયાદની પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા પીઆઈ એમ.એન. શેખના વડપણ હેઠળ શરૃ કરાયેલી તપાસમાં એએસઆઈ નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ, કમલેશ ખીમાણીયાએ મળેલી બાતમીના આધારે મયુર ભાણાભાઈ વિરડા તથા જગદીશ જલાભાઈ રાઠોડ ઉર્ફે જગા નામના બે શખ્સની અટકાયત કરાઈ છે.
અલીયા ગામના જ રહેવાસી અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મયુર વિરડા તથા ભંગાર અંગેનું કામ કરતા જગદીશ રાઠોડની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ વાયર કાઢી આપ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial