Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર વર્ષ પહેલાં એસીબીએ ગોઠવ્યું છટકુઃ
જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગમાં નોકરી કરતા એક કર્મચારી તથા દબાણ નિરીક્ષકની ફરજ બજાવતા કર્મચારીએ રૃા.૨૫ હજારની લાંચ માંગ્યાની ૧ર વર્ષ પહેલાં થયેલી ફરિયાદમાં આ બંને કર્મચારીને એક-એક વર્ષની કેદ-દંડ ફટકારાયા છે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખામાં વર્ષાે સુધી નોકરી કરનાર રાજેન્દ્રસિંહ ચાવડા (રાજભા) તથા દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળીએ રૃા.૨૫ હજારની લાંચની માગણી કર્યાની વર્ષ ૨૦૧૩માં એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત વર્ષમાં સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા લોકમેળામાં કેટલાક સ્ટોલધારકોનો સામાન બહાર પડ્યો હતો તે સામાન અંગે લાંચ માંગવામાં આવી હોવાની વિગત ફરિયાદમાં જણાવાતા એસીબી સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને સુનિલ ભાનુશાળીના કહેવાથી રૃા.રપ હજાર રાજભાએ સ્વીકારતા દબોચી લેવામાં આવ્યા હતા.
બંને કર્મચારી સામે ગુન્હો નોંધાયા પછી ઉપરોક્ત કેસ જામનગરની ખાસ એસીબી કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં છટકુ ગોઠવનાર અધિકારી, સરકારી પંચ તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને રાખી અદાલતે જામ્યુકોના બંને કર્મચારી સુનિલ ભાનુશાળી તથા રાજભા ચાવડાને તક્સીરવાન ઠરાવી એક-એક વર્ષની કેદ તથા રૃા.પ-પ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial