Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચનાર ૩૧,૧ર૩ ખેડૂતોનું પેમેન્ટ બાકી !!

ખુદ જિલ્લા પંચાયત પ્રમુખની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખે રજૂઆત કરી છે.

જામનગર જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદ કરેલ મગફળીનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં જામનગર જિલ્લામાં વિવિધ મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે, પરંતુ જિલ્લામાં ઘણાં બધા ખેડૂતોને મગફળીની ખરીદી કર્યાના એક મહિનાથી વધારે સમય થવા છતાં ખેડૂતોના ખાતામાં પેસા જમા થયા નથી.

વધુમાં હાલમાં જામજોધપુર તાલુકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તે મગફળી ક્યા ગોડાઉનમાં નાખવી તે નક્કી થયેલ ના હોવાથી ખરીદી કેન્દ્ર ઉપર સ્ટોક જમા થયેલ છે. આ મગફળી જ્યાં સુધી ગોડાઉનમાં પહોંચે નહીં ત્યાં સુધી ખેડૂતોને પેમેન્ટ થાય નહીં. આથી જામનગર જિલ્લામાં બેંક લીંક કરવાના ખાતા તથા ગોડાઉનની સમસ્યાના કારણે હાલમાં લગભગ ૩૧,૧ર૩ ખેડૂતોને પેમેન્ટ ચૂકવણું બાકી છે, જેથી સત્વરે લગત વિભાગને જરૃરી સૂચના આપવા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર દ્વારા રાજ્યના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત સાથે માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh