Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિના દિવસે ધ્રોલમાંથી મળી આવ્યા હતાઃ
ધ્રોલ પોલીસ દ્વારા મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ધ્રોલમાંથી બે માસૂમ બાળકો એકલા મળી આવ્યા હતા. રડમસ હાલતમાં ફરતા આ બાળકો પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હોવાનંુ જણાઈ આવ્યું હતું. તેથી ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફના રવિરાજસિંહ, અનિલભાઈ, હીરાભાઈ સહિતના વ્યક્તિઓએ આ બાળકોને સાંત્વના આપી પોલીસ મથકે લઈ જઈ તેમના પરિવારની શોધ આરંભી હતી. જેમાં ધ્રોલ પંથકમાં ખેતમજૂરી માટે આવીને રહેતા પરિવારનો સંપર્ક થયો હતો. જેને બોલાવીને પૂછવામાં આવતા તેમના બે બાળકો વિખૂટા પડી ગયાનું ખૂલ્યું હતું તેથી પોલીસે બંને બાળકોનો કબજો તે પરિવારને સોંપી આપી માનવતાનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial