Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લીગલ સર્વિસીસ કલિનિકનો પ્રારંભ

વીર પરિવાર સહાયતા યોજના-૨૦૨૫ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી દ્વારા શહીદ સૈનિકોના પરિવારો અને સેવારત તથા પૂર્વ સૈનિકોને કાનૂની સહાય પૂરી પાડવા માટે *વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫* નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૃપે, તા.૧૩/૦૮/૨૦૨૫ના  ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, જામનગર દ્વારા એક લીગલ સર્વિસીસ ક્લીનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જીએસએલએસએના પેટ્રન-ઈન-ચીફ, ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ લીગલ સર્વિસીસ ક્લીનિક દ્વારા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ (શહીદ સૈનિકોની પત્નીઓ) અને તેમના પરિવારોને મિલકત, કૌટુંબિક સમસ્યાઓ, ગ્રાહક સુરક્ષા, નાણાકીય છેતરપિંડી, પારિવારિક વારસા, કલ્યાણકારી યોજનાઓ, સિવિલ અને ક્રિમિનલ કેસોમાં કાયદાકીય પ્રતિનિધિત્વ, અને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા જેવી કાનૂની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં ડીએલએસએ, જામનગરના સચિવ એ.એમ. શુક્લા, કમાન્ડર સંદીપ જયસ્વાલ (જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી), જામનગરના આર્મી, નેવી અને એરફોર્સના જવાનો, તેમજ પૂર્વ સૈનિકોના સંગઠનના પ્રતિનિધિઓ અને કાનૂની નિષ્ણાતો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh