Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી કોર્ટમાં જવાની ચિમકી અપાઈઃ
જામનગર તા. ર૪ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરાયું હતું, જેમાં મહાનગર પાલિકાની તિજોરીને મોટું આર્થિક નુક્સાન કરનાર અધિકારી સામે પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.
જામનગરના મનોજ નેભરાજ જ્ઞાનચંદાણીએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, જેમણે ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરાવ્યા નથી તેવા અરજદારોને પ્લોટ ફાળવી દેવાયા હતાં. મેળામાં અનેક સ્થળે નિયમનું ઉલ્લંઘન કરાયું હતું. આથી આઠ દિવસમાં જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.
તેમણે આ રજૂઆતમાં અધિકારી સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, જયદિપભાઈ મકવાણાએ રૃા. ૧૭ લાખ રપ હજારનો ડી.ડી. જમા કરાવ્યો હતો. તેના બદલે નિલેષ મંગી નામની વ્યક્તિએ તા. ર૦-૯-ર૦રપ ના ચેક જમા કરાયો હતો જે તદ્ન ગેરકાયદે છે. આ સમગ્ર કૌભાંડમાં જે અધિકારીની સંડોવણી ખૂલવા પામે તેની સામે પગલાં લેવા જોઈએ. અન્યથા અમો કોર્ટમાં દાદ માગીશું તેવી પણ ચિમકી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial