Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. પાંચમીએ નિઃશુલ્ક આયોજનઃ
જામનગર તા. ૧: ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. પ/૯ ને શુક્રવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલપંપની પાછળ, શરૂ સેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં સદ્ગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરો તથા સ્ટાફ સેવા આપશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
નેત્ર નિદાન કેમ્પની સાથોસાથ એક્યુપ્રેશર કેમ્પ, તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસ કરવામાં આવશે. ડો. કુંજલબેન પટેલ દંત નિદાન કેમ્પમાં સેવા આપશે. જરૂરિયાતમંદોને ઉપરોક્ત તમામ કેમ્પનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial