Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગનાથ નાકા પાસે સ્કોર્પિયો સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૧: જામનગરના નાગનાથ નાકા પાસે એક સ્કૂટીને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. જ્યારે સિક્કામાં બાઈક સાથે મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતોમાં બે વ્યક્તિને ગોળા ભાંગી જવા ઉપરાંત ફ્રેક્ચર થઈ ગયા છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા અંબાજીના ચોકમાં સવાભાઈની શેરીમાં રહેતા રમેશભાઈ માવજીભાઈ મકવાણા નામના ૮૭ વર્ષના વૃદ્ધ શુક્રવારે સવારે નાગનાથ નાકા પાસેથી પોતાના જીજે-૩-સીબી ૬૩૫ નંબરના સ્કૂટી પર જતા હતા. ત્યારે જીજે-૩૬-એપી ૫૫૫ નંબરની સ્કોર્પિયો મોટરેે તેઓને ઠોકર મારી હતી.
રોડ પર પછડાયેલા રમેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજા થઈ છે અને ગોળો ભાંગી ગયો છે. સ્કોર્પિયો ચાલક સામે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અમરશીભાઈ રાઠોડ અને તેમના પત્ની આશાબેન અને પુત્ર પાર્થિક ગયા મંગળવારની રાત્રે જીજે-૧૦-સીબી ૬૫૫૫ નંબરના બાઈકમાં પંચવટી રોડ પરથી જતા હતા ત્યારે જીજે-ર-સીજી ૯૦૫૪ નંબરની મોટર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ધર્મેન્દ્રભાઈને ગોળો ભાંગી ગયો છે અને ફ્રેક્ચર થઈ ગયું છે. આશાબેને પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial