Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના કરાણાના બે સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧: લાલપુરના કરાણા ગામમાં ઈલેકટ્રીક થાંભલા નાખવાના સ્થળે સરપંચને બે શખ્સે ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના કરાણા ગામના સરપંચ ભગવાનજી ખીમાભાઈ રાઠોડ ગામના વૃદ્ધ શનિવારે સવારે ગામમાં નાખવામાં આવેલા ઇલેક્ટ્રીક થાંભલાના ચાલી રહેલા કામના સ્થળે જઈ મજૂરોને પૂછતા હતા.
ત્યાં હાજર બળવંતસિંહ વજુભા જાડેજા ઉર્ફે બળુભા, મહિપતસિંહ વજુભા જાડેજા નામના બે શખ્સે સરપંચને ઘેરી લઈ થાંભલાનું કામ કેમ રોકાવે છે, સરપંચ હોવ તો શું કરી લઈશ તેમ કહ્યા પછી ભગવાનજીભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ગાળો ભાંડી હતી. જ્યારે બળવંતસિંહ વજુભા જાડેજાએ છરી બતાવી હતી. આ બાબતની લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial