Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના મતદાન મથકોનું થશે પૂનર્ગઠન

વિવિધ રાજકીય પક્ષોના સૂચનો લેવાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મતદાન મથકોના પૂનર્ગઠન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોના સૂચનો લેવાયા હતાં.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં મતદાન મથકોના પુનર્ગઠન અંગેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા અને તેમના સૂચનો લેવાયા હતાં.

બેઠક દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓએ કલેક્ટર સમક્ષ જરૂૂરિયાત મુજબના અમુક વિસ્તારોમાં બૂથ ફાળવણી કરવા, મતદાન અંગેના નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા, ભૌગોલિક રીતે એકબીજાથી નજીક આવેલા નેસ વિસ્તારોમાં નવા બૂથ મંજૂર કરવા અને સીમાંકન મુજબ બૂથની યાદી મેળવવા જેવી બાબતો અંગે રજુઆત કરી હતી. કલેક્ટરે આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ તેના નિરાકરણ માટે જરૂૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. અને જણાવ્યું હતું કે, મતદારોને બૂથને લઈને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને મતદાન વખતે બૂથ અંગે કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવે.

તેમણે ઉપસ્થિત પ્રાંત અને ચૂંટણી અધિકારીઓને આ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, તમામ પ્રાંત અધિકારીઓ અને રિટર્નિંગ ઑફિસર્સ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh