Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના શક્તિનગરમાં મકાનમાંથી ઝડપાયું રાંધણગેસનું ગેરકાયદે રીફીલીંગ

સાત નાના-મોટા ગેસ ભરેલા બાટલા કબજેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી દ્વારકા એસઓજીએ રાંધણગેસનું ગેરકાયદે રીફીલીંગ પકડી પાડ્યું છે. સ્થળ પરથી ગેસ ભરેલા નાના મોટા સાત બાટલા અને ર૬ ખાલી બાટલા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પેટ્રોલીંગમાં ખંભાળિયાના શક્તિનગરમાં શ્રીજી નિવાસ નામના એક મકાનમાં એલપીજીના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરાતું હોવાની બાતમી મળતા એસઓજી ટીમ ત્યાં શ્રીજી સાનિધ્ય સોસાયટીમાં કારાભાઈ મેરામણભાઈ નંદાણીયાના મકાનમાં ત્રાટકી હતી. તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી રાંધણગેસનું ગેરકાયદે રીફીલીંગ મળી આવ્યું હતું. સ્થળ પરથી ભરેલા બે બાટલા તેમજ ર૬ ખાલી બાટલા અને પાંચ કિલોની નાની બે હાંડી તેમજ ઈલેકટ્રીક મોટર, નોઝલ, રેગ્યુલેટર મળી આવ્યા હતા. એસઓજીએ ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી કારાભાઈ નંદાણીયાની અટકાયત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh