Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા સીમાંકન તથા વસ્તીમાં વધારો નોંધાતા
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા નગરપાલિકા નજીકના વિસ્તારો રામનગર, શક્તિનગર, ધરમપૂર તથા શક્તિનગર વિગેરે વિસ્તારોમાં વધારો થતા રાજ્ય સરકાર તરફથી ખંભાળીયા પાલિકાને વિસ્તારો, હદ વધારો તથા નવા વોર્ડના સીમાંકન સાથે રચના કરવા આદેશ કરવામાં આવતા પાલિકા ચીફ ઓફિસર શ્રી રાહુલ કરમૂર તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા નવા સમાવેશ થયેલા વિસ્તારોની મુલાકાત લઈને તથા ભૌગોલિક દૃષ્ટિએ તેનો સમાવેશ ખંભાળીયામાં થતા નવા વોર્ડ કઈ રીતે બને તેનું આયોજન કર્યુ હતું.
બે વોર્ડનો વધારો / આઠ બેઠકો વધી
નવા સીમાંકન તથા નવી વસ્તી વધારો થતા ખંભાળીયા શહેરમાં પંદર વીસ હજાર વસ્તિ તથા દસ-બાર હજાર મતદારોનો વધારો થતા હાલ પાલિકામાં વોર્ડ ૧ થી ૭ તેના બદલે ૧ થી ૯ એમ નવ વોર્ડ થશે. બે વોર્ડ દીઠ આઠ બેઠકોનો વધારો થતા ખંભાળીયામાં આગામી ચૂંટણીઓમાં ૩૬ બેઠકો માટેની ચૂંટણી થશે.
નવા વિસ્તાર વધારામાં અનેક સોસાયટીઓ તથા અનેક ગ્રામ્ય વિસ્તારો ખંભાળીયામાં ભળતા ખંભાળીયામાં જામનગર રોડ પરથી દાખલ થતા છેક ગંગાજમના હોટલ, ઘી ડેમ, જિલ્લા કલેક્ટર નિવાસસ્થાન, યાર્ડ સહિતના વિસ્તારો તથા મહાપ્રભુજી બેઠક નજીકની સોસયાટીઓ જેકેવી નગર, યોગેશ્વરનગર આખું ભળી જતા નવા સદસ્યોમાં સતવારા, ગઢવી, રાજપૂત, આહિર જેવા સદસ્યોની સંખ્યામાં પણ વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial