Advertisement
Author: નોબત સમાચાર

દહેજની માગણી કરી પતિ તથા સસરાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

નાની બાબતોમાં ઝઘડા કરી પજવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ગુલાબનગરમાં લગ્ન કરીને આવેલા એક પરિણીતાને પતિ તેમજ સસરાએ દહેજ બાબતે તથા નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮માં હિંગળાજ ચોક પાસે આશાપુરા સોસાયટીમાં રહેતા વિપુલાબેન પરસોત્તમભાઈ ડાભી (ઉ.વ.ર૯) નામના સતવારા યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૭માં ગુલાબનગરની સિન્ડીકેટ સોસાયટીમાં શેરી નં.૩માં રહેતા ભરત મનસુખભાઈ પરમાર સાથે થયા હતા.

લગ્નના એકાદ વર્ષ સુધી સારી રીતે રાખ્યા પછી પતિ ભરત તથા સસરા મનસુખભાઈ ચકુભાઈ પરમારે નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા હતા. ગાળો ભાંડી પતિ, સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અને દહેજની માગણી કરતા વિપુલાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh