Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના માતાએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરના એક યુવાને પોતાના સાસુના ત્રાસથી દોઢેક મહિના પહેલાં દડીયા ગામ પાસે ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. તેના માતાએ વેવાણ સામે કરેલી ફરિયાદ પછી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. તેઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.
જામનગરના દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ જેઠવાણી નામના યુવાને રણજીતસાગર પાસે જઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ યુવાને તેમાં જણાવ્યા મુજબ સાસુ દીપાબેન કિશોરભાઈ સોલંકીના ત્રાસથી કંટાળી દવા પીધી હોવાનું ઉમેર્યું હતું.
આ યુવાનના લગ્ન દીપાબેનની પુત્રી નમ્રતા સાથે થયા પછી દીપાબેન તેમાં હસ્તક્ષેપ કરતા હતા અને નમ્રતાને તેડી જતા હતા. તેથી કંટાળેલા દિલીપે દવા પીધી હતી અને આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
આ બાબતની મૃતકના માતા વિદ્યાબેન ચંદ્રકાંત ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીપાબેન કિશોરભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. આ મહિલાએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી તેઓને રૃા.૧ લાખના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી મહિલા તરફથી વકીલ નયન કનખરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial