Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાની રીબેટ યોજનાના અંતિમ દિવસ સુધીમાં રૂા. ૧.૮૮ કરોડની આવક

સર્વર ચાલુ થતાં જંગી આવકઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયા પાલિકાની કરવેરા માટેની ઈ નગર સેવા દોઢ માસ સુધી બંધ રહી હતી, જે બાબતે પાલિકા કર્મચારીઓ દ્વારા પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યનું ધ્યાન દોરતા તેમણે ગાંધીનગર ખાસ રજૂઆત તથા જહેમત કરીને ત્રણ દિવસમાં સર્વર સાથે સેવા ચાલુ કરાવી હતી અને તે પછી પાલિકાના ટેક્સ અધિકારી કિશોરસિંહ સોઢા, જીજ્ઞેશ મકવાણા સાથેની ટીમ એવી દોડી કે મે માસના અડધા વીતિ ગયા પછી પણ ચાલુ થયેલ સર્વર રજા તથા રવિવારે પણ ચાલુ રાખીને તા. ૩૦-૬-૨૫ના ૧૦% રીબેટના અંતિમ દિવસે રાત્રી સુધી કામ ચાલુ રાખીને રૂા. ૧.૮૮ કરોડની જંગી આવકનો રેકોર્ડ સર્જયો છે.

૧૦% રીબેટનો સમય  વધારવા તજવીજ

તા. ૩૦-૬-૨૫ના ૧૦% ટેક્સ રીબેટનો સમય પૂરો થઈ ગયો હોય પણ ૪૫ દિવસ ઈ નગર સેવા બંધ રહી હોય પાલિકા ચિફ ઓફિસર ચેતનભાઈ હુડીયા તથા પ્રમુખ રચનાબેન મોહાલી દ્વારા ૧૦% રીબેટનો સમય વધારવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેથી બાકી રહી ગયેલાઓને પણ વળતરનો લાભ મળી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh