Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની ઝુંબેશની વરવી વાસ્તવિક્તા
જામનગર તા. રરઃ જામનગરમાં ઢોરને જાહેર માર્ગે મુક્ત નહીં કરવા અને વાડામાં જ બાંધી રાખવા મહાનગર પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે અન્યથા ઢોરને પકડી લેવાશે તેવી ચિમકી આપવામાં આવી છે. હકીકતે તો ઢોર પકડવાની કામગીરી તો ચાલે જ છે તો ચિમકી શેના માટે? મનપાનું તંત્ર ઢોર પકડવા માટે તેની રાહ જુવે છે?
જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ટીમ સાથે ગઈકાલે મેદાનમાં ઉતર્યા હતાં અને ખાસ કરીને વંડાફળી વિસ્તારમાં પહોંચી જઈ ત્યાં રહેતા ઢોરમાલિકોને સૂચના આપી હતી કે ઢોરને વાડામાં બાંધીને રાખવા તથા ઢોર બાંધેલ જગ્યા પશુમાલિકની છે કે કેમ? તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય પણ કેટલાક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી ત્રણેક દિવસ કરવામાં આવ્યા પછી ઢોર પકડવાની ઝુંબેશ શરૃ થઈ છે તેમ જાણવા મળે છે.
જો કે, આ બધા મહાનગર પાલિકાના માત્ર નાટક છે. જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવીને અસંખ્ય ઢોર બેઠા અને રોડ ઉપર આંટા-ફેરા કરતા જોવા મળે છે. શું જામનગર પાલિકા તંત્રને આ ઢોર દેખાતા નથી? તેને પકડવા માટે ક્યા શુભ મુહૂર્તની તંત્ર રાહ જોવે છે?
અમુક દિવસ ઝુંબેશ ચલાવી થોડા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવ્યા પછી આ કામગીરી છોડી દેવામાં આવે છે અને કોઈ ઉહાપોહ થાય પછી પુનઃ શરૃ કરવામાં આવે છે, પરંતુ સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તેવી કોઈ કામગીરી થતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial