Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસ સુધી ન દેખાતા પાડોશીઓએ તપાસ કરીઃ
જામનગર તા. ૨૨: જોડિયાની વજેરી શેરીમાં એકલા રહેતા મહિલા બે દિવસથી જોવા ન મળતા રવિવારે તેમના પાડોશીઓએ ઘરમાં જઈ તપાસ કરતા આ મહિલા સેટી પરથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા છે.
જોડિયા શહેરની વજેરી શેરીમાં વસવાટ કરતા કાજલબેન રાકેશભાઈ વ્યાસ (ઉ.વ.૪ર) નામના વિપ્ર મહિલા લાંબા સમયથી ત્યાં એકલા રહેતા હતા અને આજુબાજુમાં પણ તેઓને કોઈની સાથે બોલચાલ ન હતી.
કોઈ કામ ન કરતા અને ભોજન પણ અન્ય પાસેથી મેળવતા કાજલબેન છેલ્લા બેએક દિવસથી કોઈને જોવા મળ્યા ન હતા. તેથી રવિવારે સાંજે તેમના પાડોશીઓએ કાજલબેનના મકાનમાં તપાસ કરતા આ મહિલા એક પલંગ પર સૂતેલી હાલતમાં જોવા મળ્યા હતા. બેશુદ્ધ રહેલા આ મહિલાને સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
ઉપરોક્ત બનાવ અંગે જોડિયાની જલારામ સોસાયટીમાં રહેતા અને પૂજાપાઠનું કામ કરતા વિશાલભાઈ હસમુખરાય વ્યાસે પોલીસને જાણ કરી છે. આ મહિલાના મૃત્યુનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial