Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીની કરાઈ અટક

એક મંદિરમાં સેવા-પૂજા માટે રહી ગયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામજોધપુરના ધ્રાફાના એક શખ્સને ચેક પરતના કેસમાં સજા પડ્યા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેના સગડ દબાવતી શેઠવડાળા પોલીસને આરોપી સાધુ બની ગયાનું જાણવા મળ્યું હતું. આ આરોપી એક મંદિરમાં પૂજારી તરીકે રહી ગયો હતો. ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના દિગ્વિજયસિંહ અનુભા જાડેજા (ઉ.વ.૫૦) નામના શખ્સ સામે ચેક પરતની ફરિયાદ થઈ હતી. ત્યારપછી વર્ષ ૨૦૧૮માં થયેલી આ ફરિયાદમાં આ શખ્સને અદાલતે સજા ફટકારી હતી.

ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. તેનું સજાનંુ વોરંટ ઈસ્યુ થયું હતું. શેઠવડાળા પોલીસ તે વોરંટના આધારે આરોપીની શોધખોળ કરતી હતી. જેમાં દિગ્વિજયસિંહે પોતાનું ઘર છોડી દીધાની વિગતો મળી આવી હતી. તેના મોબાઈલ નંબરના આધારે કરાતી તપાસમાં ઉત્તરપ્રદેશ સ્થિત ઋષિકેશમાં દિગ્વિજયસિંહે પોતાનો ફોન વેચી નાખ્યાનું અને સંસાર છોડી સાધુ બની ગયાનું જાણવા મળ્યું હતું.

તે દિશામાં કરાતી તપાસમાં જામજોધપુરના વરવાળા ગામમાં એક મંદિરમાં આ શખ્સ પૂજારી બની સેવાપૂજા કરતા હોવાનું જણાઈ આવતા ત્યાં ધસી ગયેલી પીઆઈ વી.એસ. પટેલની સૂચનાથી શેઠવડાળા પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh