Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ-પરિવર્તિત માર્ગે દોડશે

ઉત્તર-૫ૂર્વ રેલવેમાં બ્લોકના કારણે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧: ગોરખપુર-ડોમિનગઢ સ્ટેશનો વચ્ચે થર્ડ લાઈનના કામ અને ગોરખપુર-નકાહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામ માટે પૂર્વ રેલવે પર ૨૨ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી બ્લોક લેવામાં આવશે. આ કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને પરિવર્તિત માર્ગે દોડશે.

જેમાં ૨૮ સપ્ટેમ્બરના ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તેમજ ૨૬ સપ્ટેમ્બરના ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ રહેશે. તથા આંશિક રીતે રદ થનારી ટ્રેનોમાં ટ્રેન સંખ્યા ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ૨૧ સપ્ટેમ્બર ના ખલીલાબાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન ખલીલાબાદ અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ૨૫ સપ્ટેમ્બરના ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લખનઉ જં.-સુલતાનપુર-વારાણસી-ઔડિહાર-છપરા-મુઝફ્ફરપુર સ્ટેશનના રસ્તે દોડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh