Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોડાએશ ભરેલો ટ્રક પુલ પરથી ખાબક્યો હતોઃ
ખંભાળિયા તા.૧૦ : વડોદરાના પાદરા નજીકના ગંભીરા પુલનો ૧૨૦ ફૂટ જેવડો એક ભાગ ચાલુ વાહન વ્યવહારે તૂટી પડતા ૧૩ વ્યક્તિના પુલ નીચે ખાબકી જવાથી મૃત્યુ નિપજ્યા છે. આ અકસ્માતમાં જેટલા વાહનો પુલ પરથી પડ્યા હતા તેમાં એક વાહન દ્વારકા જિલ્લાનું હતું. જેમાં રહેલા એક વ્યક્તિનું મૃત્યુ નિપજયું છે અને બીજાનો બચાવ થયો છે.
વડોદરાના પાદરા પાસે આવેલા ગંભીરા પુલના ૨૩ ગાળામાંથી એક ગાળો તૂટી પડતા તેના પરથી પસાર થતાં વાહનો રમકડાની માફક પુલના પાણીમાં ખાબકી ગયા હતા. જેમાં દેવભૂમિ દ્વારકામાં વસવાટ કરતા અને ટ્રક ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઈ પરબતભાઈ હાથીયાનું પણ મૃત્યુ નિપજ્યું છે.
તેઓ પોતાના ટ્રકમાં મીઠાપુરથી સોડાએશ ભરીને ક્લિનર રાજુભાઈ ડુડાભાઈ પરમાર સાથે રવાના થયા હતા. તેઓ જ્યારે પુલ પરથી પસાર થતા હતા ત્યારે પુલનો એક ગાળો તૂટી પડતા તેમનો ટ્રક નીચે ખાબકી ગયો હતો અને કીચડમાં ખૂંપી ગયો હતો. ત્યાં હાજર લોકોએ તંત્ર સાથે મળી શરૂ કરેલી રેસ્કયુમાં રાજુભાઈ પરમારને જીવીત અવસ્થામાં બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે મહેન્દ્રભાઈ હાથીયાની શોધ કરાતી હતી. તેઓનો મૃતદેહ અન્ય બે મૃતદેહ સાથે મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial