Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ
ખંભાળિયા તા. ૧૦: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચોમાસા દરમ્યાન વિસ્તાર માર્ગો પર જનતાને પડતી મુશ્કેલી નિવારવા તંત્રોને સુચના અપાતા, દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે સ્થળે રસ્તા રીપેરીંગ પેચવર્ક તથા ખાડા પૂરવાની કામગીરી કરાઈ હતી.
ખંભળિયા તાલુકાના પીપળીયા, માધુપુર, મોવાણ, સિદ્ધપુર, અને વીરમદળ જતાં બાર કિલોમીટરનો રસ્તો બિસ્માર થયો હોય આ રસ્તા પર વેટમીકસથી પેચવર્કની કામગીરી કરાતા લોકોને રાહત થઈ હતી. આ ઉપરાંત દ્વારકા જતાં લીંબડીથી ચરકલા ગુરગઢના રસ્તાનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું જેથી લોકોને રાહત થઈ છે.
ખંભાળિયા તાલુકાના ભાણવડ તથા ખંભાળિયાથી સિંહણ તથા વાડીનાર-કજુરડા જતાં રસ્તાઓ પણ ખુબ જ બિસ્માર હોય તેમાં પણ રીપેરીંગ કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial