Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છોત્સવ અભિયાનની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૨૧: તા.૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાનનું તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાલાવડ નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ટાઉનહોલમાં કાર્યક્રમોનું આયોજન તથા ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમની પૂર્ણાહુતિ અન્વયે સફાઈકર્મીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતાકર્મીઓને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શાળાઓમાં પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કાલાવડ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલીયા, ઉપપ્રમુખ દયાબેન ઝાપડા ચીફ ઓફિસર નિકુંજ વોરા, કર્મચારીગણ, અગ્રણીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial