Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં સંત શિરોમણી પૂ.જલારામબાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૩૧ઃ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની કહેવતને સાર્થક કરી વિશ્વભરને અન્નદાનનો મહિમા સમજાવનાર સંત શિરોમણી પૂજય જલારામબાપાની જન્મ જયંતીની ભાણવડ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. પૂજા, આરતી, શોભાયાત્રા, અન્નકોટ દર્શનમાં જલા ભક્તો ઉમટી પડયા હતા.

પ્રારંભમાં ભગવતી શેરીમાં આવેલ પૂજ્ય જલારામ મંદિરે સવારે ૧૦૮ દીવડાની આરતી તેમજ પૂજા, અર્ચના કરવામાં આવ્યા હતા. બપોરે જલારામબાપાને અન્નકોટ ધરવામાં આવ્યો હતો.

સાંજે ૪ કલાકે જલારામ બાપાના મંદિરેથી બેન્ડ પાર્ટી અને નાચગાન સાથે વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. શોભાયાત્રા આઝાદ ચોક, વેરાડ ગેઈટ, ગાંધી ચોક તેમજ રણજીતપરા થઈ જલારામ મંદિર સુધી ઘુમી વળી હતી, ભાવિકોએ જલાબાપાનો જયઘોષ બોલાવ્યો હતો.

સાંજે ૭ કલાકે પોરબંદર ગેઈટ પાસે આવેલ જુની લોહાણા મહાજન વાડીમાં સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં ભાણવડ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોહાણા જ્ઞાતિના લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. જલારામ જયંતી હોવાથી ભાણવડના લોહાણા સમાજે વેપાર ધંધા બંધ રાખી સ્વયંભૂ ઉજવણીમાં જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh