Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    મેઘાવી માહોલઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકાઃ
જામનગર તા. ૩૧ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને ભેજનું પ્રમાણ ૯૧ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાનનો પારો ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક યથાવત્ રહી હતી.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે ગઈકાલે પણ કમોસમી વરસાદી છાંટા પડવાનો દોર યથાવત્ રહ્યો હતો. નગરમાં મેઘાવી માહોલના પગલે ઠંડક યથાવત્ રહી હતી.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન બાવીસ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૯૧ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  