Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં મોતનો ખાડો ખોદી રાખનાર કોન્ટ્રાક્ટર સામે કાનૂની કાર્યવાહી નહી!

એક સપ્તાહ પહેલાં ખાડામાં તરૂણે જીવ ગૂમાવ્યો'તોઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૫: ઓખામાં ગયા મંગળવારે રેલવે ઓવરબ્રિજની સાઈટ પાસે કોન્ટ્રાક્ટરે ખોદી રાખેલા એક ખાડામાં ભરેલા પાણીમાં બાર વર્ષનો તરૂણ અકસ્માતે ખાબકી ગયો હતો અને મોતને શરણ થયો હતો. બનાવના છ દિવસ પછી પણ પોલીસે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરી નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ગઈ તા.૮ના દીને રેલવે ઓવરબ્રિજની સાઈટ પાસે ખોદવામાં આવેલા ખાડામાં બાર વર્ષનો અઝરૂદ્દીન નામનો તરૂણ પડી ગયો હતો. ત્યાં કોઈ સુચના કે બેરીકેડ મુકવામાં આવ્યું ન હોવાથી ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો.

આ ખાડો ખોદ્યા પછી તેને રાખી મૂકનાર કોન્ટ્રાક્ટર સામે એક સપ્તાહ વિત્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી શાસન સામે માનવ જિંદગીનું કોઈ મૂલ્ય ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ બાબતે ઓખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર. જરૂએ જણાવ્યું છે કે, અકસ્માતે મૃત્યુની નોંધ કરાઈ છે અને તપાસ ચાલી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય સૂચના આપી કાર્યવાહી આગળ વધારે તેવી માગણી ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh