Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. વાલજીભાઈ હરિદાસ આણંદજી રાયઠઠ્ઠા પરિવાર દ્વારા
જામનગર તા. રરઃ યાત્રાધામ દ્વારકામાં સરકીટ હાઉસ નજીક હોટલ દેવાંગના પટાંગણમાં દ્વારકાના સ્વ. વાલજીભાઈ હરિદાસ આણંદજી રાયઠઠ્ઠા પરિવાર દ્વારા સુબોધીનીજી આધારિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા. રપ થી ૩૧ ઓગસ્ટ સુધી યોજાનાર છે. વ્યાસપીઠ પર જૂનાગઢના પુષ્ટિમાર્ગિય વક્તા પ.પૂ. શાસ્ત્રીજી શ્રી કેતનભાઈ પુરોહિત બિરાજશે અને કથા અમૃતપાન કરાવશે.
તા. રપ મી ઓગસ્ટે બપોરે બે વાગ્યે પોથીયાત્રા નીકળશે. કથાનો સમય દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તા. ર૬ ના કપિલ પ્રાગટ્ય, તા. ર૭ ના નૃસિંહ પ્રાગટ્ય, તા. ર૮ ઓગસ્ટના શ્રી વામન પ્રાગટ્ય તથા રામ પ્રાગટ્ય પછી શ્રીકૃષ્ણ પ્રાગટ્ય (નંદભયો), તા. ર૯ ના ગોવર્ધન લીલા, તા. ૩૦ ના શ્રીકૃષ્ણ-ઋક્ષ્મણી વિવાહ અને તા. ૩૧ મી ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે સુદામા ચરિત્ર પછી સવારે ૧૧-૩૦ કલાકે કથા વિરામ પામશે.
શ્રીનાથજીબાવા અને શ્રી વલ્લભાધીશજી, નિ.લિ.ગૌ. પ.પૂ. ૧૦૮ શ્રી નટવરગોપાલજી મહારાજ (દ્વારકાવાળા), પ.પૂ. ગૌસ્વામી શ્રી કાલિન્દીવહુથી મહારાજની કૃપાથી પ.પૂ. ૧૦૮ શ્રી નૃસિંહ લાલજી મહારાજના સાનિધ્યમાં યોજાનાર આ ભાગવત સપ્તાહ માટે શ્રી રમણિકભાઈ અને શ્રી સુભાષભાઈ રાયઠઠ્ઠા તથા સમસ્ત રાયઠઠ્ઠા પરિવારે સૌ વૈષ્ણવોને કથા શ્રવણ માટે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial