Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભદ્રકાલી માતાજીના મંદિરે નવરાત્રિની ઉપાસના

ત્રણ યંત્રો-ત્રિપુરા સુંદરી માતાજી-આશાપુરા માતાજી સાથે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૨: ભારતીય સંસ્કૃતિમાં શકિત અને માતાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. નવદુર્ગા શકિતની ઉપાસનાનું સર્વોતમ પર્વ એટલે નવરાત્રિ. રાવળા તળાવની પશ્ચિમ દિશાએ દ્વારકાના પૌરાણિક મંદિરો પૈકીનું એક એવું શ્રી ભદ્રકાલી માતાજીનું મંદિર આવેલ છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહે શ્રી ભદ્રકાલી માતાજીની પ્રતિમાની ફરતે મહાકાલી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીના ત્રણ યંત્રો આવેલા છે તેમજ નિજમંદિરના પ્રવેશદ્વાર પાસે ત્રિપુરા સુંદરી માતાજી બિરાજે છે. મુખ્ય મંદિરની બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પશુપતિનાથ મહાદેવ, હનુમાનજીનું બાળ સ્વરૂપ અને ચારણગોર ઠાકર કુટુંબના દેવ આવેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh