Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: જામનગરની જુદી જુદી બે શિક્ષણ સંસ્થામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીના વાળ કાપી નાખવાનો બનાવ બનતા ચર્ચા જાગી છે. આ બાબતે શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર સહિત જિલ્લામાં સમયાંતરે શિક્ષણ સંસ્થાઓ કોઈને કોઈ વિવાદમાં સપડાતી રહી છે, ત્યારે તાજેતરમાં બે બનાવમાં બાળકોના વાળ શિક્ષક દ્વારા કાપી નાખવામાં આવતા હોવાનો બનાવ બનતા ચર્ચાએ જોર પકડ્યું છે.
શહેરના નવાનગર સ્કૂલમાં ધો. ૯ મા અભ્યાસ કરતા ઈમરાન શબ્બીરભાઈ શાહમદારના વાળ મોટા અને લાંબા છે તેમ કહીને શાળાના એક શિક્ષકે આ વિદ્યાર્થીના વાળ કાપી નાખ્યા હતાં. આ અંગે સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અનવર સંઘારે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે.
આવા જ અન્ય એક બનાવમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો. ૪ મા અભ્યાસ કરતા હિતાંશ ભટ્ટને વાળમાં તેલ નાખ્યું નહીં હોવાથી શાળાના પી.ટી. શિક્ષક ધનંજયએ તેના વાળ બ્લેડથી કાપી નાખ્યા હતાં. આ બાબતની જાણ બાળકના વાલીને થતા તેના પિતા મિતેનભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી છે, અને યોગ્ય પગલાંની માગ કરી છે.
આમ જામનગરની અલગ અલગ બે શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોની દાદાગીરી સામે આવી છે. હવે આવનાર દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહે છે.
વધુમાં મળતી માહિતી મુજબ શાળાના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન શશીબેન દાસએ તાકીદની અસરથી પગલાં લઈને પીટી શિક્ષક ધનંજયને નોકરીમાંથી રૂખસદ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial