Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળામાં બે મંદિરમાં ચોરી

બંને સ્થળે દાનપેટી તોડી રૂ.૩ હજાર ઉઠાવી જવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: કાલાવડના મોટા વડાળા ગામની સીમમાં આવેલા બે મંદિરમાં સવા મહિના પહેલાં દાનપેટી તોડી કોઈ તસ્કરે રૂ.૩ હજાર રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં વહેતી નદીના કાંઠે જાગનાથ મહાદેવ મંદિર આવેલુ છે તે મંદિર તથા બાજુમાં આવેલા સુરાપુરાના મંદિરમાં ગઈ તા.૮ ઓગસ્ટની સાંજથી તા.૧૦ની સવાર સુધીમાં ચોરી થઈ છે.

ઉપરોક્ત બનાવના સવા મહિના પહેલાં બન્યા પછી ગઈકાલે મોટા વડાળાના લલીતગીરી રતીગીરી અપારનાથીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ઉપરોક્ત તારીખે મંદિરમાં પ્રવેશી ગયેલા કોઈ તસ્કરે બંને સ્થળે રાખવામાં આવેલી દાનપેટીના તાળા તોડી બંને પેટીમાંથી રૂ.૧૫૦૦-૧૫૦૦ રોકડાની ચોરી કરી લીધી હતી. પોલીસે રૂ.૩ હજારની રોકડ ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh