Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગલુડિયાના પગ પણ કાપી નંખાયા હતાં:
જામનગર તા. ૧પઃ જામનગરના લાલબંગલા સર્કિટ હાઉસ નજીક ગત્ શનિવારે એક શ્વાનનું બચ્ચુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. કોઈએ માનવતાની હદ વટાવતા તેના પગ કાપી નાખ્યા હતાં. આ અંગેની જાણ થતાં જ શ્વાનપ્રેમીઓ ત્યાં દોડી ગયા હતાં.
જામનગરના સર્કિટ હાઉસ નજીકના વિસ્તારમાં કોઈ નરાધમ વ્યક્તિએ ગલુડિયાના પગ કાપી નાખી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આથી શ્વાનપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક શ્વાનપ્રેમી હિરેનભાઈ ઝાલા પોતાના સાથીદારો સાથે દોડી ગયા હતાં અને પોલીસ તેમજ મહાનગરપાલિકામાં જાણ કરી હતી. આથી મૃતક શ્વાનના બચ્ચાનો યોગ્ય નિકાલ કર્યો હતો. આ બનાવથી શ્વાન અને પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial